બે ઓઈલ કંપનીની બસ વચ્ચે કુવૈત શહેરના દક્ષિણી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 ભારતીયો સહિત 15 કર્મચારીઓના મોત નીપજ્યા હતા અને 4 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલ ખેસડાયા હતા. આ અકસ્માતમાં મરનાર 3 પાકિસ્તાની પણ શામેલ છે અને તમામ કર્માચીરીઓ કુવૈતની એક ઓઈલ કંપનીમાં જ કામ કરતા હતા.