ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્થળે વાગતાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ લાગી ગયો છે. હાઈકોર્ટે આદેશ આપતાં આઈજી(કાયદોવ્યવસ્થા)એ તમામ જિલ્લાના પોલીસઅધિકારીઓને હાઈકોર્ટની સૂચનાનું પાલન કરવા જણાવી દીધું છે. વાસ્તવમાં અલ્હાબાદ હાઈકોર્ટે ૨૦ ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ સરકારને પ્રશ્ન કર્યો હતો કે કોના આદેશથી ધાર્મિક સ્થાને લાઉડસ્પીકર વાગી રહ્યાં છે. મંદિર અને મસ્જિદમાં વાગતાં લાઉડસ્પીકરને મુદ્દે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી હાથ ધરી રહેલી અલ્હાબાદ હાઈકોર્ટની બેંચે રાજ્યના ગૃહસચિવ, મુખ્ય સચિવ અને એનજીટીના વડાઓને કોર્ટમાં બોલાવ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે કોઈ ખાસ પ્રસંગે જાહેર રીતે લાઉડસ્પીકર વગાડતાં પહેલાં વહીવટીતંત્રની મંજૂરી લેવી પડશે અને નિર્ધારિત શરતો મુજબ જ લાઉડસ્પીકર વગાડી શકાશે.
ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્થળે વાગતાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ લાગી ગયો છે. હાઈકોર્ટે આદેશ આપતાં આઈજી(કાયદોવ્યવસ્થા)એ તમામ જિલ્લાના પોલીસઅધિકારીઓને હાઈકોર્ટની સૂચનાનું પાલન કરવા જણાવી દીધું છે. વાસ્તવમાં અલ્હાબાદ હાઈકોર્ટે ૨૦ ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ સરકારને પ્રશ્ન કર્યો હતો કે કોના આદેશથી ધાર્મિક સ્થાને લાઉડસ્પીકર વાગી રહ્યાં છે. મંદિર અને મસ્જિદમાં વાગતાં લાઉડસ્પીકરને મુદ્દે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી હાથ ધરી રહેલી અલ્હાબાદ હાઈકોર્ટની બેંચે રાજ્યના ગૃહસચિવ, મુખ્ય સચિવ અને એનજીટીના વડાઓને કોર્ટમાં બોલાવ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે કોઈ ખાસ પ્રસંગે જાહેર રીતે લાઉડસ્પીકર વગાડતાં પહેલાં વહીવટીતંત્રની મંજૂરી લેવી પડશે અને નિર્ધારિત શરતો મુજબ જ લાઉડસ્પીકર વગાડી શકાશે.