તિસ્તા સેતલવાડને કાશી વિદ્યાપીઠમાં ધક્કે ચઢાવવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તિસ્તાનો એક કાર્યક્રમમાં વિરોધ કરાયો હતો. કાશી વિદ્યાપીઠમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા તિસ્તા ત્યાં પહોંચી હતી. સોશ્યલ મીડિયાના આ સમયે મુખ્ય પ્રવાહનું પત્રકારત્વ વિષય પર 27મી ફેબ્રુઆરીએ આયોજીત વર્કશોપમાં ભાગ લેવા તિસ્તા પહોંચી ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં પહોંચ્યા હતા અને તિસ્તા વિરોધી નારા લગાવ્યા હતા.