નિવૃત્તિ ફંડ સંસ્થા EPFO દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, તેના તમામ સભ્યોને બેકાર થયાના એક મહિના પછી તેની જમા થયેલી પીએફની રકમમાંથી ૭૫ ટકા રકમ ઉપાડવા છૂટ આપવી. EPFOના સભ્યો બેકારીનાં ૨ મહિના પછી પીએફની બાકીની ૨૫ ટકા રકમ પણ ઉપાડી શકશે અને પીએફનાં ખાતાનું ફાઇનલ સેટલમેન્ટ કરી શકશે. એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ સ્કીમ ૧૯૫૨ હેઠળ આ નવી જોગવાઈ દાખલ કરવામાં આવશે તેમ કેન્દ્રિય શ્રમ પ્રધાન સંતોષકુમાર ગંગવારે જણાવ્યું હતું. તેઓ EPFO સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝનાં ચેરમેન પણ છે.
હાલની જોગવાઈ મુજબ ઈપીએફઓનાં સભ્ય ૨ મહિના બેકાર રહ્યા પછી એક જ તબક્કે તેનો પૂરેપૂરો પીએફ ઉપાડી શકે છે.
નિવૃત્તિ ફંડ સંસ્થા EPFO દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, તેના તમામ સભ્યોને બેકાર થયાના એક મહિના પછી તેની જમા થયેલી પીએફની રકમમાંથી ૭૫ ટકા રકમ ઉપાડવા છૂટ આપવી. EPFOના સભ્યો બેકારીનાં ૨ મહિના પછી પીએફની બાકીની ૨૫ ટકા રકમ પણ ઉપાડી શકશે અને પીએફનાં ખાતાનું ફાઇનલ સેટલમેન્ટ કરી શકશે. એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ સ્કીમ ૧૯૫૨ હેઠળ આ નવી જોગવાઈ દાખલ કરવામાં આવશે તેમ કેન્દ્રિય શ્રમ પ્રધાન સંતોષકુમાર ગંગવારે જણાવ્યું હતું. તેઓ EPFO સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝનાં ચેરમેન પણ છે.
હાલની જોગવાઈ મુજબ ઈપીએફઓનાં સભ્ય ૨ મહિના બેકાર રહ્યા પછી એક જ તબક્કે તેનો પૂરેપૂરો પીએફ ઉપાડી શકે છે.