ઈડરમાં એક ખેડૂતે પૂરતા ભાવ ન મળતાં કરેલી આત્મહત્યા સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા કરવામાં આવતી આત્મહત્યા પાછળ ખેતીની નિષ્ફળતાનું એક માત્ર કારણ જવાબદાર હોતું નથી. તેના માટે સામાજિક કારણ સહિત બીજા પણ કેટલાક કારણો જવાબદાર છે. વડસર જીઆઈડીસી ખાતે મ્યુઝીયમ ઓફ ટ્રીઝના લોકાર્પણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.