આગામી 27 જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાશે. જે માટે તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. પોલીસ વિભાગે પણ સુરક્ષા અને શાંતિ સ્થાપવા માટે પૂરી તૈયારી કરી છે. જોકે, આ વખતે ગુજરાત પોલીસ ભીડનું સંચાલન કરવા માટે AI-સંચાલિત સોફ્ટવેરનો ઉપયોગ કરશે.
જગન્નાથ રથયાત્રામાં AI-સંચાલિત સુરક્ષા : આગામી 27 જૂને અમદાવાદમાં યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રામાં શોભાયાત્રા દરમિયાન ભાગદોડ જેવી પરિસ્થિતિને રોકવા માટે ગુજરાત પોલીસ વિભાગે ખાસ તૈયારી કરી છે. પોલીસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ભીડનું સંચાલન કરવા માટે ડ્રોન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-આધારિત સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરશે.