ભારતીય ક્રિકેટને મહત્વના સીમાચિહ્નો આપનારા પૂર્વ કપ્તાન અજીત વાડેકરનું મુંબઈ ખાતે 77 વર્ષની વયે બુધવારે મોડી સાંજે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બિમાર હતા. વાડેકરની વિદાયથી ભારતીય ક્રિકેટના એક યાદગાર યુગનો અસ્ત થયો ગણાશે. ગંભીર માંદગી સામે છેલ્લાં કેટલાંક સમયથી ઝઝુમી રહેલાં ક્રિકેટર અને પૂર્વ કપ્તાન અજીત વાડેકર આખરે મૃત્યુની ગોદમાં પોઢી ગયા હતા. બુધવારે મોડી રાત્રે તેમણે પરિવારજનોની ઉપસ્થિતિમાં છેલ્લાં શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 1941માં મુંબઈ ખાતે થયો હતો.
ભારતીય ક્રિકેટને મહત્વના સીમાચિહ્નો આપનારા પૂર્વ કપ્તાન અજીત વાડેકરનું મુંબઈ ખાતે 77 વર્ષની વયે બુધવારે મોડી સાંજે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બિમાર હતા. વાડેકરની વિદાયથી ભારતીય ક્રિકેટના એક યાદગાર યુગનો અસ્ત થયો ગણાશે. ગંભીર માંદગી સામે છેલ્લાં કેટલાંક સમયથી ઝઝુમી રહેલાં ક્રિકેટર અને પૂર્વ કપ્તાન અજીત વાડેકર આખરે મૃત્યુની ગોદમાં પોઢી ગયા હતા. બુધવારે મોડી રાત્રે તેમણે પરિવારજનોની ઉપસ્થિતિમાં છેલ્લાં શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 1941માં મુંબઈ ખાતે થયો હતો.