ઈરાકના મોસુલ વિસ્તારમાં છેલ્લાં 4 વર્ષથી ગુમ થયેલા 39 ભારતીયોના આખરે મોત થયા છે તેમ રાજ્યસભામાં કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સત્તાવાર નિવેદન આપ્યું છે. તેમના મૃતદેહો પહાડ ખેદીને બહાર કાઢવામાં આવ્યા છે. 39માંથી 38 લોકોના ડીએનએ ટેસ્ટ થઇ ગયા છે. તેમાંથી 31 લોકો પંજાબના, 4 હિમાચલ પ્રદેશના હોવાનું સમર્થન મળ્યું છે.