વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વેપાર-ઉદ્યોગને સરળ બનાવવા માટે સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં હજુ વધારે સુધારા કરશે. જીએસટી કાઉન્સિલની આગામી અઠવાડિયે મળનારી બેઠકમાં સુધારા અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. વર્લ્ડ બેન્ક રેન્કીંગમાં ભારતની પ્રગતિના સંદર્ભમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે યોજેલા કાર્યક્રમ ઈન્ડિયા બિઝનેસ રિફોર્મ્સમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલે પ્રધાનોના ગ્રૂપની રચના કરી છે. આ ગ્રુપ વેપારીઓ તથા ઉદ્યોગ સાહસિકોને નડતી મુશ્કેલીઓની સમીક્ષા કરે છે. પ્રધાનોના જૂથની ભલામણો અંગે વિચારણા માટે જીએસટી કાઉન્સિલની 9 અને 10 તારીખે ગુવહાટીમાં બેઠક યોજાનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વેપાર-ઉદ્યોગને સરળ બનાવવા માટે સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં હજુ વધારે સુધારા કરશે. જીએસટી કાઉન્સિલની આગામી અઠવાડિયે મળનારી બેઠકમાં સુધારા અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. વર્લ્ડ બેન્ક રેન્કીંગમાં ભારતની પ્રગતિના સંદર્ભમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે યોજેલા કાર્યક્રમ ઈન્ડિયા બિઝનેસ રિફોર્મ્સમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલે પ્રધાનોના ગ્રૂપની રચના કરી છે. આ ગ્રુપ વેપારીઓ તથા ઉદ્યોગ સાહસિકોને નડતી મુશ્કેલીઓની સમીક્ષા કરે છે. પ્રધાનોના જૂથની ભલામણો અંગે વિચારણા માટે જીએસટી કાઉન્સિલની 9 અને 10 તારીખે ગુવહાટીમાં બેઠક યોજાનાર છે.