બોલિવૂડના શહેનશાહ તરીકે પ્રખ્યાત એવા અમિતાભ બચ્ચન, તેમના પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન કોરોના વાયરસની અડફેટે આવી ચૂક્યા છે. બચ્ચન પરિવારના આ ચારેય સભ્યો અત્યારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ દરમિયાન તાજેતરમાં જ એવી વાત વહેતી થઈ હતી કે બીગ બીનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેને તેઓએ ખોટી ગણાવી છે.
તાજેતરમાં જ સોશિયલ મીડિયા અને તમામ ન્યૂઝ ચેનલ્સ પર આવી રહ્યું હતું કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ટૂંક સમયમાં જ સમયમાં જ રજા આપવામાં આવશે. અમિતાભે ટ્વીટ કરીને આ વાતને ખોટી ગણાવી છે. તેમણે એક ન્યૂઝ ચેનલના ન્યૂઝને શેર કરીને લખ્યું કે આ એકદમ ખોટા, ગેરજવાબદાર અને પાયાવિહોણા સમાચાર છે !!
નોંધનીય છે કે નાણાવટી હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણકારી મળી હતી કે અમિતાભ બચ્ચનનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેમજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવાની વાતોએ પણ જોર પકડ્યું હતું. અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું ત્યાં સુધી આ વાતની કોઈ સત્તાકીય પુષ્ટી થઈ શકી નહતી.
બોલિવૂડના શહેનશાહ તરીકે પ્રખ્યાત એવા અમિતાભ બચ્ચન, તેમના પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન કોરોના વાયરસની અડફેટે આવી ચૂક્યા છે. બચ્ચન પરિવારના આ ચારેય સભ્યો અત્યારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ દરમિયાન તાજેતરમાં જ એવી વાત વહેતી થઈ હતી કે બીગ બીનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેને તેઓએ ખોટી ગણાવી છે.
તાજેતરમાં જ સોશિયલ મીડિયા અને તમામ ન્યૂઝ ચેનલ્સ પર આવી રહ્યું હતું કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ટૂંક સમયમાં જ સમયમાં જ રજા આપવામાં આવશે. અમિતાભે ટ્વીટ કરીને આ વાતને ખોટી ગણાવી છે. તેમણે એક ન્યૂઝ ચેનલના ન્યૂઝને શેર કરીને લખ્યું કે આ એકદમ ખોટા, ગેરજવાબદાર અને પાયાવિહોણા સમાચાર છે !!
નોંધનીય છે કે નાણાવટી હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણકારી મળી હતી કે અમિતાભ બચ્ચનનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેમજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવાની વાતોએ પણ જોર પકડ્યું હતું. અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું ત્યાં સુધી આ વાતની કોઈ સત્તાકીય પુષ્ટી થઈ શકી નહતી.