પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે બે વર્ષ પહેલા તોફાની આંદોલન થયું હતું જેને લઈને ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ લોકોમાં ભાજપ સરકાર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેની સીધી અસર થતા ભાજપની વિધાનસભામાં બેઠકો ૧૨૧થી ઘટીને માત્ર ૯૯ રહી ગઈ છે. આગામી લોકસભામાં પણ તેનું પુનરાવર્તન ન થાય તે માટે સવર્ણોનો રોષ શાંત પાડવાના ભાગરૂપે સરકારે સવર્ણ વિદ્યાર્થીઓ અને યુવાનો માટેની કેટલીક યોજનાઓ જાહેર કરી છે. એસ.સી., એસ.ટી. અને ઓબીસીમાં નહિ આવતા લગભગ દોઢ કરોડ જેટલા લોકોને તેમાં આવરી લેવાયા છે. પ્રથમ વર્ષે સરકારે રૂા. ૬૦૦ કરોડનું બજેટ રાખ્યું છે.
પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે બે વર્ષ પહેલા તોફાની આંદોલન થયું હતું જેને લઈને ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ લોકોમાં ભાજપ સરકાર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેની સીધી અસર થતા ભાજપની વિધાનસભામાં બેઠકો ૧૨૧થી ઘટીને માત્ર ૯૯ રહી ગઈ છે. આગામી લોકસભામાં પણ તેનું પુનરાવર્તન ન થાય તે માટે સવર્ણોનો રોષ શાંત પાડવાના ભાગરૂપે સરકારે સવર્ણ વિદ્યાર્થીઓ અને યુવાનો માટેની કેટલીક યોજનાઓ જાહેર કરી છે. એસ.સી., એસ.ટી. અને ઓબીસીમાં નહિ આવતા લગભગ દોઢ કરોડ જેટલા લોકોને તેમાં આવરી લેવાયા છે. પ્રથમ વર્ષે સરકારે રૂા. ૬૦૦ કરોડનું બજેટ રાખ્યું છે.