દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક્સાઈઝ પોલિસી સંબંધિત કેસમાં ધરપકડમાંથી રાહત ન મળતા હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. અરવિંદ કેજરીવાલ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે, જેમાં હાઈકોર્ટે તેમને ધરપકડમાંથી રાહત આપવાનો ઈન્કાર કરતા તેમની અરજી ફગાવી દીધી હતી. સીએમ કેજરીવાલના વકીલો સવારે 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ કેસનો ઉલ્લેખ કરશે.