Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે નિર્દોષોના મોતનો બદલો લેવા માટે 'ઓપરેશન સિંદૂર' હેઠળ સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં અને PoKના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતાં. ત્યારબાદથી પાકિસ્તાની આર્મી તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ દરમિયાન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 'ઓપરેશન સિંદૂર' હજુ શરૂ છે. આ મામલે સરહદી વિસ્તારની સ્થિતિ વિશે સમયાંતરે સંરક્ષણ મંત્રાલય અને ભારતીય સેના દ્વારા માહિતી આપવામાં આવી રહી છે, જેના કારણે ફેક ન્યૂઝ અટકાવી શકાય અને દેશભરમાં ડરનો માહોલ ન સર્જાય અને સેનાની મુશ્કેલી હળવી રહે. આ વિશે વધુ માહિતી આપવા માટે વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય પ્રેસ બ્રીફિંગનું આયોજન કર્યું છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ