આસામમાં ફેક પોલીસ એન્કાઉન્ટરના દાવાઓની તપાસ કરવાનો સુપ્રીમ કોર્ટે આસામ માનવ અધિકાર પંચને નિર્દેશ આપ્યો છે. એક જાહેર હિતની અરજીમાં આરોપ મુકવામાં આવ્યો છે કે, આસામ સરકારે વર્ષ 2014માં PUCL કેસમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હતું. આ બાબતને ગંભીર ગણીને, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે આસામ માનવ અધિકાર આયોગને પીડિત પરિવારોનો સંપર્ક કરવા માટે જાહેર નોટિસ જારી કરવાનો નિર્દેશ આપ્યો.