Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના સંક્રમણને લઇને સ્થિતિ હવે ગંભીર બની ચૂકી છે. દૈનિક સ્તરે જાણે કેસોનો રાફડો ફાટ્યો હોય એમ સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. એવામાં વધુ પડતા પ્રભાવિત રાજ્યોની સરકારો સામે કેસો પર અંકુશ મેળવો અઘરુ સાબિત થઇ રહ્યુ છે. 

તાજેતરમાં જ દિલ્હી પછી યુપી સરકારે રાજ્યમાં સંક્રમણના સામાન્ય લક્ષણોવાળા દર્દીઓને હોમ આઇસોલેશનની પરવાનગી આપી દીધી છે. આવા દર્દીઓ કેટલીક શરતોને આધિન હોમ આઇસોલેશન કરી શકશે. રાજ્યમાં વધતા કેસો સામે કોરોના હોસ્પિટલ્સમાં બેડ્સની વ્યવસ્થા ખોરવાઇ ચૂકી છે. આથી યોગી સરકારે આ નિર્ણય લેવાની ફરજ પડી હતી. પ્રશાસને આ અંગેની જાહેરાત કરતા જણાવ્યુ કે સંક્રમણના સામાન્ય લક્ષણોવાળા મોટાભાગના દર્દીઓ હોસ્પિટલ્સમાં દાખલ થવાથી મનાઇ કરી રહ્યા છે, આવા દર્દીઓ સંક્રમણ છુપાવી રહ્યા છે જેમના લીધે સંક્રમણ ફેલાવાની સંભાવના વધી પડી છે.

દેશમાં કોરોના સંક્રમણને લઇને સ્થિતિ હવે ગંભીર બની ચૂકી છે. દૈનિક સ્તરે જાણે કેસોનો રાફડો ફાટ્યો હોય એમ સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. એવામાં વધુ પડતા પ્રભાવિત રાજ્યોની સરકારો સામે કેસો પર અંકુશ મેળવો અઘરુ સાબિત થઇ રહ્યુ છે. 

તાજેતરમાં જ દિલ્હી પછી યુપી સરકારે રાજ્યમાં સંક્રમણના સામાન્ય લક્ષણોવાળા દર્દીઓને હોમ આઇસોલેશનની પરવાનગી આપી દીધી છે. આવા દર્દીઓ કેટલીક શરતોને આધિન હોમ આઇસોલેશન કરી શકશે. રાજ્યમાં વધતા કેસો સામે કોરોના હોસ્પિટલ્સમાં બેડ્સની વ્યવસ્થા ખોરવાઇ ચૂકી છે. આથી યોગી સરકારે આ નિર્ણય લેવાની ફરજ પડી હતી. પ્રશાસને આ અંગેની જાહેરાત કરતા જણાવ્યુ કે સંક્રમણના સામાન્ય લક્ષણોવાળા મોટાભાગના દર્દીઓ હોસ્પિટલ્સમાં દાખલ થવાથી મનાઇ કરી રહ્યા છે, આવા દર્દીઓ સંક્રમણ છુપાવી રહ્યા છે જેમના લીધે સંક્રમણ ફેલાવાની સંભાવના વધી પડી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ