-
દેશના દિલ્હી સહિત સાત રાજ્યોના વાતાવરણમાં એકાએક આવેલા પલ્ટાથી ઓછામાં ઓછા 100 લોકોના મોત થયાના અહેવાલ છે. આ રાજ્યોમાં દિલ્હી, રાજસ્થાન, હરિયાણા,પ. બંગાળ અને હિમાચલપ્રદેશનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં વાવાઝોડુ અને ભારે વરસાદને કારણે વૃક્ષો ધરાસાયી થયા છે. પટિયાલામાં બે-ત્રણ કારની ઉપર વૃક્ષ તૂટીને પડતાં નુકશાન થયું હતું. કમોસમી ભારે વરસાદથી ખેતીને નુકશાન થયાંના પણ અહેવાલ છે. દિલ્હીમાં વિમાની સેવા પર અસર પડી છે. એકલા રાજસ્થાનમાં વાવાઝોડાથી 22 લોકો માર્યા ગયા છે.
-
દેશના દિલ્હી સહિત સાત રાજ્યોના વાતાવરણમાં એકાએક આવેલા પલ્ટાથી ઓછામાં ઓછા 100 લોકોના મોત થયાના અહેવાલ છે. આ રાજ્યોમાં દિલ્હી, રાજસ્થાન, હરિયાણા,પ. બંગાળ અને હિમાચલપ્રદેશનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં વાવાઝોડુ અને ભારે વરસાદને કારણે વૃક્ષો ધરાસાયી થયા છે. પટિયાલામાં બે-ત્રણ કારની ઉપર વૃક્ષ તૂટીને પડતાં નુકશાન થયું હતું. કમોસમી ભારે વરસાદથી ખેતીને નુકશાન થયાંના પણ અહેવાલ છે. દિલ્હીમાં વિમાની સેવા પર અસર પડી છે. એકલા રાજસ્થાનમાં વાવાઝોડાથી 22 લોકો માર્યા ગયા છે.