ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ ઇન્ડિગો અને ગો એરના ૧૧ વિમાનને ઉડાન ભરવાની પરવાનગી રદ કરી નાખ્યાના એક દિવસ બાદ મંગળવારે ઇન્ડિગો અને ગો એર એરલાઇન્સે ૬૫ ફ્લાઇટ રદ કરવાની ફરજ પડતાં દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે અંધાધૂંધી સર્જાઇ હતી. ઇન્ડિગોએ ૪૭ અને ગો એરે ૧૮ ફ્લાઇટ રદ કરી હતી. સોમવારે ડીજીસીએએ આ બંને એરલાઇન્સના એરબસ એ૩૨૦ નીઓ એરક્રાફટમાં ખામીયુક્ત પ્રાત એન્ડ વ્હિટની એન્જિન હોવાનું શોધી કાઢયા બાદ તેમને ઉડાડવાની પરવાનગી પાછી ખેંચી લીધી હતી.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ ઇન્ડિગો અને ગો એરના ૧૧ વિમાનને ઉડાન ભરવાની પરવાનગી રદ કરી નાખ્યાના એક દિવસ બાદ મંગળવારે ઇન્ડિગો અને ગો એર એરલાઇન્સે ૬૫ ફ્લાઇટ રદ કરવાની ફરજ પડતાં દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે અંધાધૂંધી સર્જાઇ હતી. ઇન્ડિગોએ ૪૭ અને ગો એરે ૧૮ ફ્લાઇટ રદ કરી હતી. સોમવારે ડીજીસીએએ આ બંને એરલાઇન્સના એરબસ એ૩૨૦ નીઓ એરક્રાફટમાં ખામીયુક્ત પ્રાત એન્ડ વ્હિટની એન્જિન હોવાનું શોધી કાઢયા બાદ તેમને ઉડાડવાની પરવાનગી પાછી ખેંચી લીધી હતી.