Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો બીસીસીઆઈ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. જોકે, હજી સુધી તેઓએ પોતાના પદ પરથી રાજીનામું નથી આપ્યું. કૂલિંગ-ઓફ પીરિયડના નિયમ અનુસાર ભારતીય ક્રિકેટ પ્રશાસનમાં ગાંગુલી છ વર્ષ સુધી અધ્યક્ષ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. 

એવામાં હવે તેમણે ત્રણ વર્ષ માટે અધ્યક્ષ પદ પરથી બ્રેક લેવી પડશે. ત્યારબાદ જ તેઓ ભારતીય ક્રિકેટમાં કોઈ પદ મેળવી શકશે. જોકે, આ દરમિયાન બીસીસીઆઈએ કૂલિંગ ઓફ પીરિયડના નિયમોમાં ફેરફાર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેના પર આવતા મહિને 17 ઓગસ્ટના રોજ સુનાવણી થશે. 

આ મામલે થનારી સુનાવણી અગાઉ એવું માનવામાં આવી રહ્યું છે કે જો આ નિયમમાં સુધારા કરવામાં આવશે તો તેઓ આગામી સમયમાં પણ બીસીસીઆઈનું અધ્યક્ષ પદ સંભાળશે. જ્યારે બીજી તરફ ગાંગુલી આઈસીસી ચેરમેન પદ માટે પોતાનું નામ રજૂ કરી શકે છે પરંતુ આ માટે પણ તેઓએ બીસીસીઆઈની મંજૂરી લેવી પડશે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો બીસીસીઆઈ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. જોકે, હજી સુધી તેઓએ પોતાના પદ પરથી રાજીનામું નથી આપ્યું. કૂલિંગ-ઓફ પીરિયડના નિયમ અનુસાર ભારતીય ક્રિકેટ પ્રશાસનમાં ગાંગુલી છ વર્ષ સુધી અધ્યક્ષ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. 

એવામાં હવે તેમણે ત્રણ વર્ષ માટે અધ્યક્ષ પદ પરથી બ્રેક લેવી પડશે. ત્યારબાદ જ તેઓ ભારતીય ક્રિકેટમાં કોઈ પદ મેળવી શકશે. જોકે, આ દરમિયાન બીસીસીઆઈએ કૂલિંગ ઓફ પીરિયડના નિયમોમાં ફેરફાર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેના પર આવતા મહિને 17 ઓગસ્ટના રોજ સુનાવણી થશે. 

આ મામલે થનારી સુનાવણી અગાઉ એવું માનવામાં આવી રહ્યું છે કે જો આ નિયમમાં સુધારા કરવામાં આવશે તો તેઓ આગામી સમયમાં પણ બીસીસીઆઈનું અધ્યક્ષ પદ સંભાળશે. જ્યારે બીજી તરફ ગાંગુલી આઈસીસી ચેરમેન પદ માટે પોતાનું નામ રજૂ કરી શકે છે પરંતુ આ માટે પણ તેઓએ બીસીસીઆઈની મંજૂરી લેવી પડશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ