Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અટલ દીપ બુઝાયો પણ અટલ અમર થઇ ગયા...

     

    અટલ બિહારી વાજપેયી. ભારતના રાજકારણમાં આ નામ જ તેમની આગવી ઓળખ માટે પૂરતું છે. ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ જન્મેલા તેઓ ભારતના એક એવા રાજનેતા છે કે દેશના ઇતિહાસમાં તેમનું નામ કદીય નહીં ભૂલાય. તેઓ ભારતના ૧૦મા વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ ઇ.સ. ૧૯૯૬માં ૧૩ દિવસ, ઇ.સ. ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં પૂરા ૫ વર્ષ દરમ્યાન સેવા આપી ચૂક્યા છે. કવિહૃદય વાજપેયીની ઘણી કવિતાઓ લોકપ્રિય નિવડી હતી. ખાસ કરીને હાર નહીં માનુંગા....ભાજપના કાર્યકરોમાં અત્યંત લોકપ્રિય નિવડી હતી. તેમની સંબોધન કરવાની આગવી છટાને કારણે તેઓ અન્ય તમામ રાજકારણીઓથી અલગ પડતા હતા અને એક રીતે જોઇએ તો અન્યો કરતા મુઠ્ઠી ઉંચેરા રાજદ્વારી સમાન હતા. ભાજપમાં ઘણાં કાર્યકરો તેમની બોલવાની નકલ પણ કરીને તેમના પગલે ચાલવાનો પ્રયાસ કરતા હતા. તેમણે જય જવાન જય કિસાન સૂત્રમાં જય વિજ્ઞાન ઉમેરીને નવું સૂત્ર આપીને ભારતને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ લઇ જવાનું કામ કર્યું હતું તો ઇન્દિરા ગાંધીની જેમ પોખરણમાં 1999માં અણુ ધડાકો કરીને ભારતને પરમાણુ શસ્ત્રોથી સુસજ્જ બનાવ્યું હતું. ભારત- પાકિસ્તાન વચ્ચે સૌ પ્રથમ બસ વ્યવહાર તેમના જ શાસનમાં શરૂ થયો અને તેઓ પોતે પણ બસમાં બેસીને લાહોર ગયા હતા. તે વખતે તેમની સાથે કેટલાક ફિલ્મી કલાકારો કે જેઓ આજના પાકિસ્તાન પરંતુ ભાગલા પહેલાના એ પ્રદેશમાં જનમ્યા હતા તેઓ પણ વાજપેયની સાથે લાહોર ગયા હતા. સમગ્ર ભાજપમાં અને ભારતના રાજકીય પક્ષોમાં તેમની તોલે આવે એવો એક પણ રાજનેતા-રાજદ્વારી નથી. ભારત અને ભાજપને તેમની સાચા અર્થમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. ભાજપ અને ભારતમાં અટલજીનું સ્થાન ખાલી જ રહેશે. તેમના પેગડામાં પગ ઘાલી શકે તેવો રાજકીય સપૂત ભારતના રાજકારણમાં પાકતા હજુ 100 વર્ષ લાગશે. વડાપ્રધાન બન્યા બાદ પણ વિરોધપક્ષો સાથે તેઓ શાલીનતા અને ભાઇચારાથી જ વર્તતા હતા. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 1971માં પાકિસ્તાન સામેનું યુધ્ધ જીત્યું ત્યારે વાજપેયીએ તેમને ભારતની દુર્ગા તરીકે માન આપ્યું હતું. આ જ વાજપેયીએ 2002માં ગોધરા કાંડ બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાજધર્મ પાળવાની સલાહ આપી હતી. તેઓ કોઇની શેહશરમ રાખ્યા વગર જે સત્ય હોય તે જ કહેતા હતા.

    વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહી ચૂક્યા છે. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સિનિયર સંસદ સભ્ય હતા.. તેઓ આજીવન અપરિણિત રહ્યાં હતા. 2004ની લોકસભાની ચૂંટણીમાં એનડીએ સરકારની હાર બાદ તેઓ રાજકારણમાંથી દૂર થયા હતા અને બિમારીને કારણે પથારીવશ બન્યા હતા. ઇ.સ.૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) નાં પ્રમુખ હતાં.

    તેમના પ્રારંભિક જીવન અને ભણતર પર નજર નાંખીએ તો અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં એક સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી.

  • ૧૯૯૨માં પદ્મવિભૂષણ,૧૯૯૩માં કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી, ૧૯૯૪માં લોકમાન્ય તિલક ખિતાબ, ૧૯૯૪માં શ્રેષ્ઠ સંસદસભ્ય તરીકેનો, ૧૯૯૪માં ભારતરત્ન અને પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબથી નવાજવામાં આવ્યાં હતા.
  • તેમના પિતા કવિ હોવાથી તેમના અંશો વાજપેયીના જીવનમાં ઉતર્યા હતા. મહાત્મા રામચંદ્ર વીર દ્વારા રચિત અમરકૃતિ વિજય પતાકા વાંચીને અટલના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. તેઓ વિદ્યાર્થી કાળથી જ આરએસએસના કાર્યકર હતા. અને ત્યારથી જ તેઓ રાષ્ટ્રીય કક્ષાના તમામ સંવાદ-પરિસંવાદ કે વાદ-વિવાદ સ્પર્ધામાં ભાગ લેતા રહ્યાં હતા. સંઘના પ્રણેતા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પં. દીન દીનદયાલ ઉપાધ્યાયના માર્ગદર્શનમાં રાજકારણ અને રાજનીતિના પાઠ ભણ્યા તો સાથે સાથે સંઘ

    પરિવારના મુખપત્ર પાંચજન્ય,રાષ્ટ્રધર્મ,દૈનિક સ્વદેશ અને વીર અર્જુન જેવા પત્ર-પત્રિકા અને અખબારોના સંપાદનનું કામ પણ કૂશળતાપૂર્વક કર્યુ હતું.

    ભારતીય જનસંઘની સ્થાપના કરનારાઓ પૈકીના તેઓ એક હતા. અને 1968થી 1973 સુધી તેના અધ્યક્ષ પણ હતા. 1955માં તેમમએ સૌ પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડી હતી. પરંતુ જીતી શક્યા નહોતા. જો કે તેમમે હિંમત હારી નહીં અને 1957માં યુપીના ગોંડા જિલ્લાના બલરામપુરથી જીતીને જનસંઘના ઉમેદવાર તરીકે લોકસભામાં પહોંચ્યા હતા. 1957થી 1977 સુધી તેઓ જનતા પાર્ટીની સ્થાપના સુધી તેઓ20 વર્ષ સુધી સતત જનસંઘના સંસદીય પક્ષના નેતા પદે રહ્યાં હતા. મોરારજી દેસાઇની સરકારમાં તેઓ 1977થી 1979 સુધી વિદેશ મંત્રી પદે રહ્યાં હતા. અને વિદેશોમાં ભારતની એક આગવી છબિ ઉપસાવી હતી. 6 એપ્રિલ1980ના રોજ તેમને ભાજપની જવાબદારી સોંપવામાં આવી હતી.

    2004માં ઉનાળાની ભયંકર ગર્મીઓમાં લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ અને એનડીએના સાથી પક્ષોએ તેમંના નેતૃત્વમાં ચૂંટણીઓ લડી હતી. જો કે ભારત ઉદય કે શાઇનીંગ ઇન્ડિયાના સૂત્રો અપાયા હતા. પરંતુ તેમની સરકાર હારી ગઇ હતી. ત્યારબાદ તેઓ બિમારીને કારણે ધીમે ધીમે સક્રિય રાજકારણમાંથી દૂર થતાં ગયા અને નવી દિલ્હીમાં 6-એ, કૃષ્ણામેનન માર્ગ પર સરકારી આવાસમાં તેઓ રહેતા હતા.

    તેમની સારવાર તેમના નિવાસસ્થાને જ થતી હતી. 25 ડિસેમ્બરે તેમના જન્મદિને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓ નિયમિત તેમને મળવા જતા હતા. જો કે તેમને મિડિયા કે કોઇ અન્ય લોકોને મળવા દેવાતા નહોતા. તેમના જન્મદિન સિવાયની અન્ય કોઇ તસ્વીર બહાર આવી નથી. તેમણે પોતાના અંતિમ શ્વાસ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં લીધા હતા. 11 જૂન 2018ના રોજ તેમને એઇમ્સમાં દાખલ કરાયા હતા. જ્યાં 16 ઓગસ્ટના રોજ 94 વર્ષની વયે ચીર નિંદ્રામાં પોઢી ગયા હતા. તેમણે પોતાની એક કવિતા રજૂ કરતાં તે વખતે કહ્યું હતું કે....

    "मेरी कविता जंग का ऐलान है,

    पराजय की प्रस्तावना नहीं।

    वह हारे हुए सिपाही का नैराश्य-निनाद नहीं,

    जूझते योद्धा का जय-संकल्प है।

    निराशा का स्वर नहीं,

    आत्मविश्वास का जयघोष है............[

     

  • અટલ દીપ બુઝાયો પણ અટલ અમર થઇ ગયા...

     

    અટલ બિહારી વાજપેયી. ભારતના રાજકારણમાં આ નામ જ તેમની આગવી ઓળખ માટે પૂરતું છે. ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ જન્મેલા તેઓ ભારતના એક એવા રાજનેતા છે કે દેશના ઇતિહાસમાં તેમનું નામ કદીય નહીં ભૂલાય. તેઓ ભારતના ૧૦મા વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ ઇ.સ. ૧૯૯૬માં ૧૩ દિવસ, ઇ.સ. ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં પૂરા ૫ વર્ષ દરમ્યાન સેવા આપી ચૂક્યા છે. કવિહૃદય વાજપેયીની ઘણી કવિતાઓ લોકપ્રિય નિવડી હતી. ખાસ કરીને હાર નહીં માનુંગા....ભાજપના કાર્યકરોમાં અત્યંત લોકપ્રિય નિવડી હતી. તેમની સંબોધન કરવાની આગવી છટાને કારણે તેઓ અન્ય તમામ રાજકારણીઓથી અલગ પડતા હતા અને એક રીતે જોઇએ તો અન્યો કરતા મુઠ્ઠી ઉંચેરા રાજદ્વારી સમાન હતા. ભાજપમાં ઘણાં કાર્યકરો તેમની બોલવાની નકલ પણ કરીને તેમના પગલે ચાલવાનો પ્રયાસ કરતા હતા. તેમણે જય જવાન જય કિસાન સૂત્રમાં જય વિજ્ઞાન ઉમેરીને નવું સૂત્ર આપીને ભારતને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ લઇ જવાનું કામ કર્યું હતું તો ઇન્દિરા ગાંધીની જેમ પોખરણમાં 1999માં અણુ ધડાકો કરીને ભારતને પરમાણુ શસ્ત્રોથી સુસજ્જ બનાવ્યું હતું. ભારત- પાકિસ્તાન વચ્ચે સૌ પ્રથમ બસ વ્યવહાર તેમના જ શાસનમાં શરૂ થયો અને તેઓ પોતે પણ બસમાં બેસીને લાહોર ગયા હતા. તે વખતે તેમની સાથે કેટલાક ફિલ્મી કલાકારો કે જેઓ આજના પાકિસ્તાન પરંતુ ભાગલા પહેલાના એ પ્રદેશમાં જનમ્યા હતા તેઓ પણ વાજપેયની સાથે લાહોર ગયા હતા. સમગ્ર ભાજપમાં અને ભારતના રાજકીય પક્ષોમાં તેમની તોલે આવે એવો એક પણ રાજનેતા-રાજદ્વારી નથી. ભારત અને ભાજપને તેમની સાચા અર્થમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. ભાજપ અને ભારતમાં અટલજીનું સ્થાન ખાલી જ રહેશે. તેમના પેગડામાં પગ ઘાલી શકે તેવો રાજકીય સપૂત ભારતના રાજકારણમાં પાકતા હજુ 100 વર્ષ લાગશે. વડાપ્રધાન બન્યા બાદ પણ વિરોધપક્ષો સાથે તેઓ શાલીનતા અને ભાઇચારાથી જ વર્તતા હતા. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 1971માં પાકિસ્તાન સામેનું યુધ્ધ જીત્યું ત્યારે વાજપેયીએ તેમને ભારતની દુર્ગા તરીકે માન આપ્યું હતું. આ જ વાજપેયીએ 2002માં ગોધરા કાંડ બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાજધર્મ પાળવાની સલાહ આપી હતી. તેઓ કોઇની શેહશરમ રાખ્યા વગર જે સત્ય હોય તે જ કહેતા હતા.

    વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહી ચૂક્યા છે. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સિનિયર સંસદ સભ્ય હતા.. તેઓ આજીવન અપરિણિત રહ્યાં હતા. 2004ની લોકસભાની ચૂંટણીમાં એનડીએ સરકારની હાર બાદ તેઓ રાજકારણમાંથી દૂર થયા હતા અને બિમારીને કારણે પથારીવશ બન્યા હતા. ઇ.સ.૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) નાં પ્રમુખ હતાં.

    તેમના પ્રારંભિક જીવન અને ભણતર પર નજર નાંખીએ તો અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં એક સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી.

  • ૧૯૯૨માં પદ્મવિભૂષણ,૧૯૯૩માં કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી, ૧૯૯૪માં લોકમાન્ય તિલક ખિતાબ, ૧૯૯૪માં શ્રેષ્ઠ સંસદસભ્ય તરીકેનો, ૧૯૯૪માં ભારતરત્ન અને પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબથી નવાજવામાં આવ્યાં હતા.
  • તેમના પિતા કવિ હોવાથી તેમના અંશો વાજપેયીના જીવનમાં ઉતર્યા હતા. મહાત્મા રામચંદ્ર વીર દ્વારા રચિત અમરકૃતિ વિજય પતાકા વાંચીને અટલના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. તેઓ વિદ્યાર્થી કાળથી જ આરએસએસના કાર્યકર હતા. અને ત્યારથી જ તેઓ રાષ્ટ્રીય કક્ષાના તમામ સંવાદ-પરિસંવાદ કે વાદ-વિવાદ સ્પર્ધામાં ભાગ લેતા રહ્યાં હતા. સંઘના પ્રણેતા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પં. દીન દીનદયાલ ઉપાધ્યાયના માર્ગદર્શનમાં રાજકારણ અને રાજનીતિના પાઠ ભણ્યા તો સાથે સાથે સંઘ

    પરિવારના મુખપત્ર પાંચજન્ય,રાષ્ટ્રધર્મ,દૈનિક સ્વદેશ અને વીર અર્જુન જેવા પત્ર-પત્રિકા અને અખબારોના સંપાદનનું કામ પણ કૂશળતાપૂર્વક કર્યુ હતું.

    ભારતીય જનસંઘની સ્થાપના કરનારાઓ પૈકીના તેઓ એક હતા. અને 1968થી 1973 સુધી તેના અધ્યક્ષ પણ હતા. 1955માં તેમમએ સૌ પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડી હતી. પરંતુ જીતી શક્યા નહોતા. જો કે તેમમે હિંમત હારી નહીં અને 1957માં યુપીના ગોંડા જિલ્લાના બલરામપુરથી જીતીને જનસંઘના ઉમેદવાર તરીકે લોકસભામાં પહોંચ્યા હતા. 1957થી 1977 સુધી તેઓ જનતા પાર્ટીની સ્થાપના સુધી તેઓ20 વર્ષ સુધી સતત જનસંઘના સંસદીય પક્ષના નેતા પદે રહ્યાં હતા. મોરારજી દેસાઇની સરકારમાં તેઓ 1977થી 1979 સુધી વિદેશ મંત્રી પદે રહ્યાં હતા. અને વિદેશોમાં ભારતની એક આગવી છબિ ઉપસાવી હતી. 6 એપ્રિલ1980ના રોજ તેમને ભાજપની જવાબદારી સોંપવામાં આવી હતી.

    2004માં ઉનાળાની ભયંકર ગર્મીઓમાં લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ અને એનડીએના સાથી પક્ષોએ તેમંના નેતૃત્વમાં ચૂંટણીઓ લડી હતી. જો કે ભારત ઉદય કે શાઇનીંગ ઇન્ડિયાના સૂત્રો અપાયા હતા. પરંતુ તેમની સરકાર હારી ગઇ હતી. ત્યારબાદ તેઓ બિમારીને કારણે ધીમે ધીમે સક્રિય રાજકારણમાંથી દૂર થતાં ગયા અને નવી દિલ્હીમાં 6-એ, કૃષ્ણામેનન માર્ગ પર સરકારી આવાસમાં તેઓ રહેતા હતા.

    તેમની સારવાર તેમના નિવાસસ્થાને જ થતી હતી. 25 ડિસેમ્બરે તેમના જન્મદિને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓ નિયમિત તેમને મળવા જતા હતા. જો કે તેમને મિડિયા કે કોઇ અન્ય લોકોને મળવા દેવાતા નહોતા. તેમના જન્મદિન સિવાયની અન્ય કોઇ તસ્વીર બહાર આવી નથી. તેમણે પોતાના અંતિમ શ્વાસ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં લીધા હતા. 11 જૂન 2018ના રોજ તેમને એઇમ્સમાં દાખલ કરાયા હતા. જ્યાં 16 ઓગસ્ટના રોજ 94 વર્ષની વયે ચીર નિંદ્રામાં પોઢી ગયા હતા. તેમણે પોતાની એક કવિતા રજૂ કરતાં તે વખતે કહ્યું હતું કે....

    "मेरी कविता जंग का ऐलान है,

    पराजय की प्रस्तावना नहीं।

    वह हारे हुए सिपाही का नैराश्य-निनाद नहीं,

    जूझते योद्धा का जय-संकल्प है।

    निराशा का स्वर नहीं,

    आत्मविश्वास का जयघोष है............[

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ