ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત પછી આજે 9 માર્ચ શુક્રવારે વિપ્લવ કુમાર દેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. સમારંભમાં નવ મંત્રીઓએ શપથ લીધા હતા. રાજ્યપાલ તથાગત રૉયે ઉપમુખ્યમંત્રી તરીકે જિષ્ણુ દેવ શર્મા અને બીજા મંત્રીપદો પર પણ વિજયી ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.