કઠુઆમાં બનેલી શર્મનાક ઘટના પર ભાજપે કૉંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા છે. ભાજપે જમ્મુ કાશ્મીરના કોંગ્રેસ અધ્યક્ષનો વિડીયો બહાર પાડી કોંગ્રસ પક્ષની નીતિ રીતિ પર પ્રશ્ન કર્યો, છે. કેન્દ્રિય નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કઠુઆ મામલે ભાજપના બંને નેતાઓએ પોતાના રાજીનામા ધરી દીધા છે. તો આ મામલે નૈતિકતાના આધારે જમ્મુ કાશ્મીરના કોંગ્રેસ અધ્યક્ષ જીએ. મીરે પણ રાજીનામું આપવું જોઈએ.