-
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પદ પરથી ખૂબ ખરાબ રીતે જવું પડ્યું તે પછી તેમણે ઘાટલોડિયા બેઠક માટે પોતાના પુત્રી અનાર પટેલને ટિકિટ આપવા પક્ષના નેતાઓને જણાવ્યું હતું, એમ સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ કહ્યું કે જો કે એક તબક્કે પક્ષ દ્વારા તેમને ફરીથી ટિકિટ આપવાની ઓફર કરાતાં કહેવાય છે કે તે વખતે આનંદીબેન પટેલે એમ કહ્યું કે મને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરો તો હું ફરીથી ચૂંટણી લડવા તૈયાર છું. પરંતુ તેમની આ વાતને કોઇએ ન સ્વીકારતાં છેવટે અનાર પટેલને બદલે આનંદીબેનના ખાસ ટેકેદાર મનાતા ઔડાના ચેરમેન ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપી હતી. ભાજપના સૂત્રો કહે છે કે પક્ષ દ્વારા એક પરિવારમાં ઘણાંને ટિકિટ આપી જ છે તેથી જો અનાર પટેલને આપી હોત તો વધુમાં વધુ પરિવારવાદનો જ આક્ષેપ થાત. અને આમ પણ હવે ભાજપમાં જે રીતે આ વખતે ટિકિટો આપવામાં આવી છે તેના પગલે પરિવારવાદનો આક્ષેપ તો થયો જ છે.
-
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પદ પરથી ખૂબ ખરાબ રીતે જવું પડ્યું તે પછી તેમણે ઘાટલોડિયા બેઠક માટે પોતાના પુત્રી અનાર પટેલને ટિકિટ આપવા પક્ષના નેતાઓને જણાવ્યું હતું, એમ સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ કહ્યું કે જો કે એક તબક્કે પક્ષ દ્વારા તેમને ફરીથી ટિકિટ આપવાની ઓફર કરાતાં કહેવાય છે કે તે વખતે આનંદીબેન પટેલે એમ કહ્યું કે મને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરો તો હું ફરીથી ચૂંટણી લડવા તૈયાર છું. પરંતુ તેમની આ વાતને કોઇએ ન સ્વીકારતાં છેવટે અનાર પટેલને બદલે આનંદીબેનના ખાસ ટેકેદાર મનાતા ઔડાના ચેરમેન ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપી હતી. ભાજપના સૂત્રો કહે છે કે પક્ષ દ્વારા એક પરિવારમાં ઘણાંને ટિકિટ આપી જ છે તેથી જો અનાર પટેલને આપી હોત તો વધુમાં વધુ પરિવારવાદનો જ આક્ષેપ થાત. અને આમ પણ હવે ભાજપમાં જે રીતે આ વખતે ટિકિટો આપવામાં આવી છે તેના પગલે પરિવારવાદનો આક્ષેપ તો થયો જ છે.