-
ભાજપના અગ્રણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે એવો દાવો કર્યો હતો કે જે કોંગ્રેસે હાર્દિક પટેલ અને પાટીદારોને અનામત આપવાની વાત ખરી છે પરંતુ કોંગ્રેસના જ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે 1998માં ખુદ એવી કબૂલાત કરી હતી કે સુપ્રિમ કોર્ટ દ્વારા અનામતની ટકાવારી 50 ટકા નક્કી કરાઇ છે તેના કરતાં વધારે અનામત આપી શકાય તેમ નથી ત્યારે હાલમાં જ એ જ સિબ્બલે પાટીદારોને અનામત આપવાની ખાતરી આપી તે કઇ રીતે શક્ય છે? કોંગ્રેસ અને સિબ્બલ પાટીદાર સમાજ અને ગુજરાતને ગેરમાર્ગે દોરીને જુઠ્ઠાણાં ચલાવી રહ્યાં છે તેને ચલાવી લેવાશે નહીં. પાટીદાર સમાજ આવા જુઠ્ઠાણાંઓથી ભરમાશે નહીં.
-
ભાજપના અગ્રણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે એવો દાવો કર્યો હતો કે જે કોંગ્રેસે હાર્દિક પટેલ અને પાટીદારોને અનામત આપવાની વાત ખરી છે પરંતુ કોંગ્રેસના જ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે 1998માં ખુદ એવી કબૂલાત કરી હતી કે સુપ્રિમ કોર્ટ દ્વારા અનામતની ટકાવારી 50 ટકા નક્કી કરાઇ છે તેના કરતાં વધારે અનામત આપી શકાય તેમ નથી ત્યારે હાલમાં જ એ જ સિબ્બલે પાટીદારોને અનામત આપવાની ખાતરી આપી તે કઇ રીતે શક્ય છે? કોંગ્રેસ અને સિબ્બલ પાટીદાર સમાજ અને ગુજરાતને ગેરમાર્ગે દોરીને જુઠ્ઠાણાં ચલાવી રહ્યાં છે તેને ચલાવી લેવાશે નહીં. પાટીદાર સમાજ આવા જુઠ્ઠાણાંઓથી ભરમાશે નહીં.