અરૂણાચલ પ્રદેશ ખાતે ભારત અને ચીન સરહદે તંગદિલી વધી રહી છે તેવા સંજોગોમાં ભારતીય સેનાએ કિબિથુ ખાતે સૈનિકોની સંખ્યા વધારી છે. જોકે સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે ભારતી. સેનાની બોફોર્સ તોપ જ અહીં પહોંચી શકી નથી. પૂર્વોત્તર રાજ્યોમાં બિસ્માર રસ્તાને કારણે હજુ સુધી એકપણ બોફોર્સ તોપ ભારત-ચીન વચ્ચેની લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ તથા સરહદે પહોંચી શકી નથી.