11 જુલાઈથી અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં કોરોનાવાઈરસની સારવાર લેતા હતા. આજે એટલે કે બીજી ઓગસ્ટના રોજ અમિતાભ બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેમને આજે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અભિષેક બચ્ચનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તે હોસ્પિટલમાં જ એડિમટ છે.
અભિષેકે ટ્વિટ કરીને લખ્યું કે, મારા પિતાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ત્યારબાદ તેમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેઓ હવે ઘરે જ આરામ કરશે. આપ સૌનો આભાર.
અન્ય એક ટ્વિટમાં અભિષેક બચ્ચને લખ્યું કે, કોમોર્બિડિટીને કારણે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હું હજી પણ હોસ્પિટલમાં જ સારવાર લઇ રહ્યો છું. ફરી વખત તમારી શુભેચ્છા તથા પ્રાર્થના માટે આભાર. તમારો હંમેશાં ઋણી રહીશ.
11 જુલાઈથી અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં કોરોનાવાઈરસની સારવાર લેતા હતા. આજે એટલે કે બીજી ઓગસ્ટના રોજ અમિતાભ બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેમને આજે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અભિષેક બચ્ચનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તે હોસ્પિટલમાં જ એડિમટ છે.
અભિષેકે ટ્વિટ કરીને લખ્યું કે, મારા પિતાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ત્યારબાદ તેમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેઓ હવે ઘરે જ આરામ કરશે. આપ સૌનો આભાર.
અન્ય એક ટ્વિટમાં અભિષેક બચ્ચને લખ્યું કે, કોમોર્બિડિટીને કારણે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હું હજી પણ હોસ્પિટલમાં જ સારવાર લઇ રહ્યો છું. ફરી વખત તમારી શુભેચ્છા તથા પ્રાર્થના માટે આભાર. તમારો હંમેશાં ઋણી રહીશ.