ગુજરાતના ક્રિકેટપ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તેનો અંત આવ્યો છે. વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર ડે-નાઇટ ટેસ્ટ માટેની ટિકિટોનું વેચાણ 14 ફેબ્રુઆરીને રવિવારથી શરૂ થશે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન(GCA)ના ઓફિશિયલ ટ્વિટર પર આ વાતની જાહેરાત કરવામાં આવી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી શરૂ થશે.
પ્રશંસકો મેચની ટિકિટો બુક માય શો એપ અને GCAની ઓફિશિયલ વેબસાઈટ પરથી મેળવી શકશે. ટિકિટોની કિંમત 300 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી રાખવામાં આવી છે.
ગુજરાતના ક્રિકેટપ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તેનો અંત આવ્યો છે. વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર ડે-નાઇટ ટેસ્ટ માટેની ટિકિટોનું વેચાણ 14 ફેબ્રુઆરીને રવિવારથી શરૂ થશે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન(GCA)ના ઓફિશિયલ ટ્વિટર પર આ વાતની જાહેરાત કરવામાં આવી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી શરૂ થશે.
પ્રશંસકો મેચની ટિકિટો બુક માય શો એપ અને GCAની ઓફિશિયલ વેબસાઈટ પરથી મેળવી શકશે. ટિકિટોની કિંમત 300 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી રાખવામાં આવી છે.