દિગ્ગજ ભારતીય ખેલાડી વિરાટ કોહલીએ આખરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને ટેસ્ટ ક્રિકેટમાંથી પણ વિદાય લેતાં રાજીનામું આપી દીધું છે. વિરાટ કોહલીએ રોહિત શર્માના માર્ગે ચાલતા થોડા દિવસો અગાઉ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ બીસીસીઆઈને તેના આ નિર્ણય વિશે જણાવી દીધું હતું. બીસીસીઆઈ તેને આ નિર્ણય પાછો ખેંચી લેવા મનાવવા પ્રયાસ કરી રહ્યું હતું. જોકે વિરાટે બીસીસીઆઈની વાત માની નથી.
વિરાટ કોહલીએ પોસ્ટમાં શું લખ્યું?
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં લખ્યું કે 14 વર્ષ પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લુ જર્સી પહેરીને પ્રવેશ લીધો હતો. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કેવા પ્રવાસ પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જેનું હું મારા બાકીના જીવનમાં અનુસરણ કરીશ