રાજકારણમાં પ્રવેશ્યા પહેલા સી જે ચાવડા ગુજરાત સરકારમાં મોટા અધિકારી હતા. તેઓ સરળ, સૌમ્ય અને ઈમાનદાર છબી ધરાવનાર અધિકારી હતા તેમજ સાથી કર્મીઓ અને અધિકારીઓ માટે આદર્શ સ્વરૂપ હતા.
ગાંધીનગરના દરેક ગામડાઓમાં રોડ, બોર, શાળા, દવાખાના, પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઈટ જેવા કેટલાય નાના મોટા કામો કરી ભારે લોકચાહના મેળવી હતી.
સી જે ચાવડાની કાર્યક્ષેલી જોઈને શંકરસિંહ વાઘેલા એ તેમને રાજકારણમાં પ્રવેશવા અપીલ કરી હતી જે બાદ તેઓએ ૨૦૦૨માં ગાંધીનગર સીટ પરથી વિધાનસભા લડી હતી અને તે સમયના ભાજપના મંત્રીને મોટી સરસાઈથી હરાવ્યા હતા. ૨૦૦૭ની ચુંટણી હારી ગયા હતા અને ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણી ફરીથી જીત્યા હતા. ભાજપના સૌથી ક્દાવાર નેતા અમિત શાહની સામે લોકસભા ચુંટણી લડી રહ્યા છે. સી.જે ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં વિવિધ હોદા પર પણ ફરજ બજાવે છે.
સી.જે. ચાવડાએ ઉમેદવારીનું ફોર્મ ભરતી વખતે તેઓએ ૫.૨૭ કરોડની સંપત્તિ જાહેર કરેલ છે. વેટ. સર્જનની ડીગ્રી મેળવેલ છે અને તેઓના પર એક પણ કેસ થયેલ નથી અને તેઓ એક પ્રકાર રાજપૂત સમાજમાં પણ સારી એવી નામના ધરાવે છે અને સમાજિક મોભાદાર માણસ તરીકે તેઓની ગણના થાય છે.
રાજકારણમાં પ્રવેશ્યા પહેલા સી જે ચાવડા ગુજરાત સરકારમાં મોટા અધિકારી હતા. તેઓ સરળ, સૌમ્ય અને ઈમાનદાર છબી ધરાવનાર અધિકારી હતા તેમજ સાથી કર્મીઓ અને અધિકારીઓ માટે આદર્શ સ્વરૂપ હતા.
ગાંધીનગરના દરેક ગામડાઓમાં રોડ, બોર, શાળા, દવાખાના, પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઈટ જેવા કેટલાય નાના મોટા કામો કરી ભારે લોકચાહના મેળવી હતી.
સી જે ચાવડાની કાર્યક્ષેલી જોઈને શંકરસિંહ વાઘેલા એ તેમને રાજકારણમાં પ્રવેશવા અપીલ કરી હતી જે બાદ તેઓએ ૨૦૦૨માં ગાંધીનગર સીટ પરથી વિધાનસભા લડી હતી અને તે સમયના ભાજપના મંત્રીને મોટી સરસાઈથી હરાવ્યા હતા. ૨૦૦૭ની ચુંટણી હારી ગયા હતા અને ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણી ફરીથી જીત્યા હતા. ભાજપના સૌથી ક્દાવાર નેતા અમિત શાહની સામે લોકસભા ચુંટણી લડી રહ્યા છે. સી.જે ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં વિવિધ હોદા પર પણ ફરજ બજાવે છે.
સી.જે. ચાવડાએ ઉમેદવારીનું ફોર્મ ભરતી વખતે તેઓએ ૫.૨૭ કરોડની સંપત્તિ જાહેર કરેલ છે. વેટ. સર્જનની ડીગ્રી મેળવેલ છે અને તેઓના પર એક પણ કેસ થયેલ નથી અને તેઓ એક પ્રકાર રાજપૂત સમાજમાં પણ સારી એવી નામના ધરાવે છે અને સમાજિક મોભાદાર માણસ તરીકે તેઓની ગણના થાય છે.