બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે મંગળવારે કોરોનિલ દવા લોન્ચ કરીને કોરોના વાયરસની દવા શોધી લીધી હોવાનો દાવો કર્યો હતો. તેમણે આ દવાનું વેચાણ શરૂ કરવાની જાહેરાત પણ કરી દીધી હતી પરંતુ આયુષ મંત્રાલયે દવાના વેચાણ, પ્રચાર-પ્રસાર પર રોક લગાવી દીધી હતી.
જયપુરના એસીપી અશોક ગુપ્તાએ કહ્યું, "એક વકીલે બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ તથા અન્ય સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ તેમની સામે મામલો નોંધવામાં આવ્યો છે. અમને કોઈપણ જાતના પરીક્ષણ વગર કથિત રીતે કોરોના વાયરસની દવા વિકસિત કરવાના દાવા માટે બાબા રામદેવ સામે અનેક ફરિયાદો મળી હતી."
બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે મંગળવારે કોરોનિલ દવા લોન્ચ કરીને કોરોના વાયરસની દવા શોધી લીધી હોવાનો દાવો કર્યો હતો. તેમણે આ દવાનું વેચાણ શરૂ કરવાની જાહેરાત પણ કરી દીધી હતી પરંતુ આયુષ મંત્રાલયે દવાના વેચાણ, પ્રચાર-પ્રસાર પર રોક લગાવી દીધી હતી.
જયપુરના એસીપી અશોક ગુપ્તાએ કહ્યું, "એક વકીલે બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ તથા અન્ય સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ તેમની સામે મામલો નોંધવામાં આવ્યો છે. અમને કોઈપણ જાતના પરીક્ષણ વગર કથિત રીતે કોરોના વાયરસની દવા વિકસિત કરવાના દાવા માટે બાબા રામદેવ સામે અનેક ફરિયાદો મળી હતી."