ભારત અને ચીન વચ્ચે ઈરાનમાં આવેલું ચાબહાર બંદરગાહ રાજકીય તંગદિલીનું કારણ બની શકે છે. ભારત વ્યૂહાત્મકપણે મહત્વનાં મનાતાં ઈરાનનાં ચાબહાર બંદરને ૫૦ હજાર કરોડના ખર્ચે વિકસાવી રહ્યો છે. ભારત તરફથી થતા રહેતા વિલંબને કારણે પ્રોજેક્ટ પર ઝડપી કામ થાય તે હેતુસર ઈરાન ચીન તરફ ઝૂકી રહ્યો છે. ઈરાનનાં પાટનગર તહેરાનથી ૧,૮૦૦ કિ.મી.નાં અંતરે આવેલાં ચાબહાર બંદરને વિકસાવવામાં ભારતે સૌપ્રથમ ૨૦૦૩માં રૂચિ દાખવી હતી. એક અહેવાલ મુજબ માર્ચ મહિનામાં ઈરાનના વિદેશપ્રધાન જાવેદ જરીફે ઇસ્લામાબાદની મુલાકાત કરી હતી, તે વખતે જાફરીએ કહ્યું હતું કે ચાબહાર પોર્ટનાં નિર્માણમાં ઈરાન પાકિસ્તાન અને ચીનનાં રોકાણને આવકારશે. જરીફે તે વખતે પાકિસ્તાનમાં ચીન દ્વારા નિર્માણાધીન ગ્વાદર પોર્ટનું પણ ઉદાહરણ આપ્યું હતું. ગ્વાદર પોર્ટને ચીનના પ્રમખ શી જિનપિંગના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો પ્રથમ શોકેસ પણ માનવામાં આવે છે.
ભારત અને ચીન વચ્ચે ઈરાનમાં આવેલું ચાબહાર બંદરગાહ રાજકીય તંગદિલીનું કારણ બની શકે છે. ભારત વ્યૂહાત્મકપણે મહત્વનાં મનાતાં ઈરાનનાં ચાબહાર બંદરને ૫૦ હજાર કરોડના ખર્ચે વિકસાવી રહ્યો છે. ભારત તરફથી થતા રહેતા વિલંબને કારણે પ્રોજેક્ટ પર ઝડપી કામ થાય તે હેતુસર ઈરાન ચીન તરફ ઝૂકી રહ્યો છે. ઈરાનનાં પાટનગર તહેરાનથી ૧,૮૦૦ કિ.મી.નાં અંતરે આવેલાં ચાબહાર બંદરને વિકસાવવામાં ભારતે સૌપ્રથમ ૨૦૦૩માં રૂચિ દાખવી હતી. એક અહેવાલ મુજબ માર્ચ મહિનામાં ઈરાનના વિદેશપ્રધાન જાવેદ જરીફે ઇસ્લામાબાદની મુલાકાત કરી હતી, તે વખતે જાફરીએ કહ્યું હતું કે ચાબહાર પોર્ટનાં નિર્માણમાં ઈરાન પાકિસ્તાન અને ચીનનાં રોકાણને આવકારશે. જરીફે તે વખતે પાકિસ્તાનમાં ચીન દ્વારા નિર્માણાધીન ગ્વાદર પોર્ટનું પણ ઉદાહરણ આપ્યું હતું. ગ્વાદર પોર્ટને ચીનના પ્રમખ શી જિનપિંગના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો પ્રથમ શોકેસ પણ માનવામાં આવે છે.