વિદેશી ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા દેશમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. બાબાસાહેબની પ્રતિમાઓ ખંડિત કરવા પાછળ ખ્રિસ્તી મિશનરીનો હાથ છે તેમ ઉત્તરપ્રદેશના બલિયાના ભાજપના સાંસદ ભરતસિંહે દાવો કર્યો છે. ભાજપના આ સાંસદના નિવેદનથી વિવાદ સર્જાયો છે. બલિયામાં ભાજપ દ્વારા આયોજીત ડૉ.આંબેડકરની જન્મજયંતિના કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે ખ્રિસ્તી મિશનરીઓ હિન્દુઓમાં આ પ્રકારે ભાગલા પડાવી રહી છે.