Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંસ્કૃતને બધી ભાષાની મૂળભાષા ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ભારતની બ્રાન્ડ ઇમેજની ક્ષમતા ધરાવતી આ ભાષાને સ્યુડો સેકયુલરીસ્ટ-ઢોંગી બિનસાંપ્રદાયિકોએ જૂદી રીતે ચિતરીને આપણા દેશની ધરોહર, માનબિંદુ પર કૂઠારાઘાત કરવાના પ્રયાસો કર્યા છે. સંસ્કૃત બચશે તો જ સંસ્કૃતિ ટકી શકશે એ વાત મધ્યનજર રાખીને આપણે સૌએ રાષ્ટ્રની ધરોહર-માનબિંદુ સમાન સંસ્કૃત ભાષાના જતન-વ્યાપ અને સંવર્ધન માટે પ્રતિબધ્ધ બનવું જ પડશે. મુખ્યમંત્રી ગાંધીનગર નજીક કોલવડામાં યોજાઇ રહેલા સંસ્કૃત ભારતી ગુજરાતના પ્રાંતીય અધિવેશનનો પ્રારંભ કરાવતાં સંબોધન કરી રહ્યા હતા. આ અધિવેશન બે દિવસ માટે યોજાઇ રહ્યું છે અને સંસ્કૃત ભાષાના વ્યાપક પ્રચાર-પ્રસારનું સમૂહમંથન થવાનું છે. આ પ્રસંગે કવિ-સાહિત્યકાર ભાગ્યેજ જ્હા, સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠનમંત્રી દિનેશ કામત તથા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ગોપબંધુ મિશ્રએ પ્રાસંગિક વકતવ્યોમાં આજના યુગમાં સંસ્કૃત ભાષાને પૂન: પ્રચલિત અને પ્રસ્થાપિત કરવાની આવશ્યકતા સમજાવી હતી. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંસ્કૃત ભાષાના સંવર્ધન માટેના પ્રયાસોની સરાહના કરી હતી. મુખ્યમંત્રીએ સંસ્કૃત ભાષા-સાહિત્યમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા વ્યકિત વિશેષોને એવોર્ડઝ અને પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા. તેમણે રાજ્યમાં સંસ્કૃત ભાષાના વધુ વ્યાપકપણે પ્રસાર માટે સંસ્કૃત બોર્ડ રચવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધશે તેવો વિશ્વાસ આપતાં કહ્યું કે સંસ્કૃતના વ્યાપને વધુ બળવત્તર બનાવવા સંસ્કૃત પંડિતો, વિશેષજ્ઞો અને સંસ્કૃત ભારતી સાથે પરામર્શમાં રહીને રાજ્ય સરકાર શકય મદદ માટે યોગ્ય વ્યવસ્થાઓ કરશે.

     

  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંસ્કૃતને બધી ભાષાની મૂળભાષા ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ભારતની બ્રાન્ડ ઇમેજની ક્ષમતા ધરાવતી આ ભાષાને સ્યુડો સેકયુલરીસ્ટ-ઢોંગી બિનસાંપ્રદાયિકોએ જૂદી રીતે ચિતરીને આપણા દેશની ધરોહર, માનબિંદુ પર કૂઠારાઘાત કરવાના પ્રયાસો કર્યા છે. સંસ્કૃત બચશે તો જ સંસ્કૃતિ ટકી શકશે એ વાત મધ્યનજર રાખીને આપણે સૌએ રાષ્ટ્રની ધરોહર-માનબિંદુ સમાન સંસ્કૃત ભાષાના જતન-વ્યાપ અને સંવર્ધન માટે પ્રતિબધ્ધ બનવું જ પડશે. મુખ્યમંત્રી ગાંધીનગર નજીક કોલવડામાં યોજાઇ રહેલા સંસ્કૃત ભારતી ગુજરાતના પ્રાંતીય અધિવેશનનો પ્રારંભ કરાવતાં સંબોધન કરી રહ્યા હતા. આ અધિવેશન બે દિવસ માટે યોજાઇ રહ્યું છે અને સંસ્કૃત ભાષાના વ્યાપક પ્રચાર-પ્રસારનું સમૂહમંથન થવાનું છે. આ પ્રસંગે કવિ-સાહિત્યકાર ભાગ્યેજ જ્હા, સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠનમંત્રી દિનેશ કામત તથા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ગોપબંધુ મિશ્રએ પ્રાસંગિક વકતવ્યોમાં આજના યુગમાં સંસ્કૃત ભાષાને પૂન: પ્રચલિત અને પ્રસ્થાપિત કરવાની આવશ્યકતા સમજાવી હતી. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંસ્કૃત ભાષાના સંવર્ધન માટેના પ્રયાસોની સરાહના કરી હતી. મુખ્યમંત્રીએ સંસ્કૃત ભાષા-સાહિત્યમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા વ્યકિત વિશેષોને એવોર્ડઝ અને પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા. તેમણે રાજ્યમાં સંસ્કૃત ભાષાના વધુ વ્યાપકપણે પ્રસાર માટે સંસ્કૃત બોર્ડ રચવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધશે તેવો વિશ્વાસ આપતાં કહ્યું કે સંસ્કૃતના વ્યાપને વધુ બળવત્તર બનાવવા સંસ્કૃત પંડિતો, વિશેષજ્ઞો અને સંસ્કૃત ભારતી સાથે પરામર્શમાં રહીને રાજ્ય સરકાર શકય મદદ માટે યોગ્ય વ્યવસ્થાઓ કરશે.

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ