મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 58મા ગુજરાત ગૌરવ દિવસે અંકલેશ્વરના કોસમડી તળાવથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાવતા કહ્યું કે સુજલામ સુફલામ જળ અભિયાનથી ગુજરાત પાણીના દુકાળને ભૂતકાળ બનાવશે. તેમણે આ જળ અભિયાનમાં ગુજરાતનો પ્રત્યેક નાગરિક શ્રમદાન સમયદાનથી જોડાઈને યોગદાન આપે તેવો સંકલ્પ કરવા પ્રેરણા આપી હતી. તેમને જણાવ્યું કે ગુજરાત આ જળ અભિયાનથી દેશને નવી રાહ બતાવશે.