મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઑફ રાજકોટ મીડટાઉન અને અમદાવાદ સ્થિત HCG કેન્સર હોસ્પિટલનાં સંયુક્ત ઉપક્રમે કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા નિદાન કેમ્પને ખૂલ્લો મૂક્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કેટલોક સહયોગ અને રાજ્ય સરકારનાં સંયુક્ત પ્રયાસોથી ગુજરાત કેન્સરને કેન્સલ કરવા પ્રતિબદ્ધ છે.