-
ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર જગાવનાર ઇશરત જહાં એન્કાઉન્ટર કેસના ફરિયાદી ગોપીનાથ પિલ્લઇ કે જેઓ ઇશરતના મિત્ર પ્રણેશ પિલ્લઇ ઉર્ફે જાવેદ શેખના પિતા છે તેમનું ગઇકાલે ગુરૂવારે કેરળમાં એક હોસ્પિટલમાં ચેક-અપ કરાવીને બહાર નિકળતી વખતે એક અજાણ્યા વાહન દ્વારા તેમને ટક્કર મારવામાં આવી હતી. વાહનચાલક વાહન લઇને ત્યારબાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ગોપીનાથને સારવાર માટે કોચીની હોસ્પિટલમાં લઇ જવાયા પરંતુ ત્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ એન્કાઉન્ટરમાં ઇશરત ,જાવેદ અને તેમના અન્ય બે જણાંને, તેઓ તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવ્યાં હોવાનું જાહેર કરીને પોલીસ દ્વારા તેમને ઠાર મારવામાં આવ્યાં હતા.
-
ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર જગાવનાર ઇશરત જહાં એન્કાઉન્ટર કેસના ફરિયાદી ગોપીનાથ પિલ્લઇ કે જેઓ ઇશરતના મિત્ર પ્રણેશ પિલ્લઇ ઉર્ફે જાવેદ શેખના પિતા છે તેમનું ગઇકાલે ગુરૂવારે કેરળમાં એક હોસ્પિટલમાં ચેક-અપ કરાવીને બહાર નિકળતી વખતે એક અજાણ્યા વાહન દ્વારા તેમને ટક્કર મારવામાં આવી હતી. વાહનચાલક વાહન લઇને ત્યારબાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ગોપીનાથને સારવાર માટે કોચીની હોસ્પિટલમાં લઇ જવાયા પરંતુ ત્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ એન્કાઉન્ટરમાં ઇશરત ,જાવેદ અને તેમના અન્ય બે જણાંને, તેઓ તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવ્યાં હોવાનું જાહેર કરીને પોલીસ દ્વારા તેમને ઠાર મારવામાં આવ્યાં હતા.