અયોધ્યા કેસની સુનાવણીના અંતિમ દિવસે મધ્યસ્થતા પેનલે પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરી દીધો હતો. રિપોર્ટમાં શું છે તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. બીજીતરફ એવા અહેવાલો પ્રાપ્ત થયા હતા કે, અયોધ્યા વિવાદમાં મુખ્ય મુસ્લિમ પક્ષકાર ગણાતા સેન્ટ્રલ સુન્ની વકફ બોર્ડે ૧૩૪ વર્ષ જૂના મંદિર-મસ્જિદ વિવાદના કેસમાંથી પોતાનો દાવો પડતો મૂકવાનો નિર્ણય કર્યો છે. ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું કે, વકફ બોર્ડે અયોધ્યામાં વિવાદિત ૨.૭૭ એકર જમીન પરનો દાવો જતો કરતી એક એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી છે.
અયોધ્યા કેસની સુનાવણીના અંતિમ દિવસે મધ્યસ્થતા પેનલે પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરી દીધો હતો. રિપોર્ટમાં શું છે તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. બીજીતરફ એવા અહેવાલો પ્રાપ્ત થયા હતા કે, અયોધ્યા વિવાદમાં મુખ્ય મુસ્લિમ પક્ષકાર ગણાતા સેન્ટ્રલ સુન્ની વકફ બોર્ડે ૧૩૪ વર્ષ જૂના મંદિર-મસ્જિદ વિવાદના કેસમાંથી પોતાનો દાવો પડતો મૂકવાનો નિર્ણય કર્યો છે. ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું કે, વકફ બોર્ડે અયોધ્યામાં વિવાદિત ૨.૭૭ એકર જમીન પરનો દાવો જતો કરતી એક એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી છે.