-
કોંગ્રેસ દ્વારા આજે રવિવારે બપોરે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેશ બઘેલના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોની મળનારી બેઠકમાં તેમને નેતા તરીકે ચૂંટી કાઢ્યા બાદ તેઓ રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કરશે. 17મીએ તેમની શપથવિધિ યોજાશે. છત્તીસગઢ નક્સલવાદી હુમલાઓનું મુખ્ય કેન્દ્ર પણ રહ્યું છે. અગાઉ આ જ રાજ્યમાં સુકમામાં એક નક્સલી હુમલામાં કોંગ્રેસના કેટલાક નેતાઓ માર્યા ગયા હતા. હવે એ જ નક્સલવાદનો ખાતમો બોલાવવાની જવાબદારી કોંગ્રેસના ભૂપેશ બઘેલના શિરે આવી છે.
-
કોંગ્રેસ દ્વારા આજે રવિવારે બપોરે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેશ બઘેલના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોની મળનારી બેઠકમાં તેમને નેતા તરીકે ચૂંટી કાઢ્યા બાદ તેઓ રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કરશે. 17મીએ તેમની શપથવિધિ યોજાશે. છત્તીસગઢ નક્સલવાદી હુમલાઓનું મુખ્ય કેન્દ્ર પણ રહ્યું છે. અગાઉ આ જ રાજ્યમાં સુકમામાં એક નક્સલી હુમલામાં કોંગ્રેસના કેટલાક નેતાઓ માર્યા ગયા હતા. હવે એ જ નક્સલવાદનો ખાતમો બોલાવવાની જવાબદારી કોંગ્રેસના ભૂપેશ બઘેલના શિરે આવી છે.