-
ગુજરાતમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મંદિર મુલાકાતના પગલે મળેલી સફળતાના પગલે પક્ષે સૌરાષ્ટ્રના અંદાજે 150 રામ મંદિરોનું કાયાકલ્પ કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે આ રામ મંદિરોને પૂજા-આરતી માટેની કીટ પણ અપાશે. જેમાં શંખ, ઝાલર, ઢોલ-નગારા વગેરોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે અંદાજે 148 ગામો એવા પસંદ કરાયા છે કે જ્યાં ભગવાન શ્રી રામના મંદિરો જર્જરીત હાલતમાં છે. કોંગ્રેસ તેનું સમારકામ અથવા નવેસરથી નિર્માણ કરાશે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વની રણનીતિ અપનાવી હતી અને તેના કારણે લોકોમાં કોંગ્રેસ પ્રત્યેની નારાજગી દૂર થઇ છે અને 80 જેટલી બેઠકો આપી છે.
-
ગુજરાતમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મંદિર મુલાકાતના પગલે મળેલી સફળતાના પગલે પક્ષે સૌરાષ્ટ્રના અંદાજે 150 રામ મંદિરોનું કાયાકલ્પ કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે આ રામ મંદિરોને પૂજા-આરતી માટેની કીટ પણ અપાશે. જેમાં શંખ, ઝાલર, ઢોલ-નગારા વગેરોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે અંદાજે 148 ગામો એવા પસંદ કરાયા છે કે જ્યાં ભગવાન શ્રી રામના મંદિરો જર્જરીત હાલતમાં છે. કોંગ્રેસ તેનું સમારકામ અથવા નવેસરથી નિર્માણ કરાશે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વની રણનીતિ અપનાવી હતી અને તેના કારણે લોકોમાં કોંગ્રેસ પ્રત્યેની નારાજગી દૂર થઇ છે અને 80 જેટલી બેઠકો આપી છે.