-
રાજસ્થાન-મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર રચાઇ રહી છે ત્યારે એ જ દિવસે દિલ્હીની હાઇકોર્ટ દ્વારા અપાયેલા એક ચુકાદામાં સિખ વિરોધી રમખાણો ભડકાવવાના આરોપમાં કોંગ્રેસના નેતા સજ્જનકુમારને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. નીચલી કોર્ટ દ્વારા સજ્જનકુમારને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકાયા હતા. પરંતુ સિખ વિરોધી કેસોની ફરી તપાસને કારણે સજ્જનકુમારની સામે પુરાવા મળતાં તેમને હાઇકોર્ટે સજા ફટકારી છે. સજ્જનકુમારની સાથે નૌકાદળના નિવૃત અધિકારી કેપય્ન ભાગમલ, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર બલવાન ખોખર અને ગીરધારીલાલને પણ દોષિત ઠેરવીને તમની સજા વધારીને 10-10 વર્ષ કરવામાં આવી છે.
-
રાજસ્થાન-મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર રચાઇ રહી છે ત્યારે એ જ દિવસે દિલ્હીની હાઇકોર્ટ દ્વારા અપાયેલા એક ચુકાદામાં સિખ વિરોધી રમખાણો ભડકાવવાના આરોપમાં કોંગ્રેસના નેતા સજ્જનકુમારને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. નીચલી કોર્ટ દ્વારા સજ્જનકુમારને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકાયા હતા. પરંતુ સિખ વિરોધી કેસોની ફરી તપાસને કારણે સજ્જનકુમારની સામે પુરાવા મળતાં તેમને હાઇકોર્ટે સજા ફટકારી છે. સજ્જનકુમારની સાથે નૌકાદળના નિવૃત અધિકારી કેપય્ન ભાગમલ, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર બલવાન ખોખર અને ગીરધારીલાલને પણ દોષિત ઠેરવીને તમની સજા વધારીને 10-10 વર્ષ કરવામાં આવી છે.