-
કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલની માંગણી પ્રમાણે પાટીદારો માટે 7 કે 8 નવે.ના રોજ 20 ટકા અનામત આપવાની જાહેરાત થતાં જ ગુજરાતના રાજકારણમાં વિધાનસભાની ચૂંટણીઓ વખતે જ ભારે હોબાળો મચી જવાનું રાજકીય પરિબળો માની રહ્યાં છે. જો કે ભાજપની નેતાગીરી કોંગ્રેસ પાટીદારોને 20 ટકા અનામત ઓબીસીમાંથી આપે છે કે અલગથી તેના પર ખાસ નજર રાખી રહી છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી અને સુપરિમ કોર્ટના વરીષ્ઠ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે બંધારણ અને અનામત અંગેના કાયદા-કાનૂન અને જોગવાઇઓનો અભ્યાસ કરીને પાટીદારોને કઇ રીતે અનામત આપી શકાય તેનો અહેવાલ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આપ્યો છે. હાર્દિક પટેલે 7મીની મુદત આપી છે ત્યારે 7મીએ અથવા 8 નવે. નોટબંધી દિવસના કાર્યક્રમમાં રાહુલ ગાંધી ગુજરાત આવવાના હોય તો તેઓ પાટીદારોને અનામત આપવાની જાહેરાત કરી શકે છે.જાહેરાત વખતે હાર્દિક રાહુલની સાથે હાજર રહે તેવી પણ શક્યતા છે. જો હાર્દિક રાહુલ સાથે જાહેરમાં આવવાનું ટાળશે તો પાસની ટીમને હાજર રાખશે. કોંગ્રેસની ગુજરાતના રાજકારણ માટે ખૂબ જ સંવેદનશીલ ગણાતી અનામતની જાહેરાતના પગલે રાજકારણમાં નવા સમીકરણો અને નવુ ધ્રુવીકરણ રચાવાની શક્યતાઓ જોવાઇ રહી છે. ખાસ કરીને ભાજપ તેનો જવાબ કઇ રીતે આપશે તે વધુ મહત્વનું છે. આમ 7 કે 8 નવે.નો દિવસ ગુજરાતના રાજકારણમાં નોંધપાત્ર બની રહે તો પણ નવાઇ નહીં.
-
કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલની માંગણી પ્રમાણે પાટીદારો માટે 7 કે 8 નવે.ના રોજ 20 ટકા અનામત આપવાની જાહેરાત થતાં જ ગુજરાતના રાજકારણમાં વિધાનસભાની ચૂંટણીઓ વખતે જ ભારે હોબાળો મચી જવાનું રાજકીય પરિબળો માની રહ્યાં છે. જો કે ભાજપની નેતાગીરી કોંગ્રેસ પાટીદારોને 20 ટકા અનામત ઓબીસીમાંથી આપે છે કે અલગથી તેના પર ખાસ નજર રાખી રહી છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી અને સુપરિમ કોર્ટના વરીષ્ઠ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે બંધારણ અને અનામત અંગેના કાયદા-કાનૂન અને જોગવાઇઓનો અભ્યાસ કરીને પાટીદારોને કઇ રીતે અનામત આપી શકાય તેનો અહેવાલ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આપ્યો છે. હાર્દિક પટેલે 7મીની મુદત આપી છે ત્યારે 7મીએ અથવા 8 નવે. નોટબંધી દિવસના કાર્યક્રમમાં રાહુલ ગાંધી ગુજરાત આવવાના હોય તો તેઓ પાટીદારોને અનામત આપવાની જાહેરાત કરી શકે છે.જાહેરાત વખતે હાર્દિક રાહુલની સાથે હાજર રહે તેવી પણ શક્યતા છે. જો હાર્દિક રાહુલ સાથે જાહેરમાં આવવાનું ટાળશે તો પાસની ટીમને હાજર રાખશે. કોંગ્રેસની ગુજરાતના રાજકારણ માટે ખૂબ જ સંવેદનશીલ ગણાતી અનામતની જાહેરાતના પગલે રાજકારણમાં નવા સમીકરણો અને નવુ ધ્રુવીકરણ રચાવાની શક્યતાઓ જોવાઇ રહી છે. ખાસ કરીને ભાજપ તેનો જવાબ કઇ રીતે આપશે તે વધુ મહત્વનું છે. આમ 7 કે 8 નવે.નો દિવસ ગુજરાતના રાજકારણમાં નોંધપાત્ર બની રહે તો પણ નવાઇ નહીં.