હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરમાં હાલ સુરક્ષાદળો દ્વારા મોટા પાયે તપાસ અભિયાન ચલાવાઇ રહ્યું છે, જેના ભાગરૂપે સુરક્ષાદળોએ રાજ્યના વિવિધ ભાગોમાંથી પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. સાથે જ મોટા પ્રમાણમાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઇમ્ફાલ ઘાટીના પાંચ જિલ્લાઓમાંથી જ આશરે 300 જેટલી રાઇફલ્સ જપ્ત કરાઇ છે. આટલી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત થતા એજન્સીઓને શંકા છે કે ઉગ્રવાદીઓ મણિપુરમાં યુદ્ધ જેવી તૈયારીમાં હતા.