સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ દર્દીના ફેફસા ઉપર જ હુમલો નથી કરંતો પરંતુ મગજ, કિડની અને હૃદયને પણ મોટાપાયે નુકસાન પહોંચાડી રહ્યો છે. આ વાતનો ખુલાસો એઈમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરીયાએ કર્યો છે.
દેશમાં કોરોના કિલનીકલ રિસર્ચ ટાસ્ક ફોર્સના મુખ્ય ડોકટર ગુલેરિયાએ આ વાયરસના બદલાઈ રહેલા સ્વરૂપને લઈને કહ્યું કે હવે તે સિસ્ટેમિક ડિસીઝ બની ગયો છે. મેડિકલ સાયન્સની ભાષામાં એ બીમારીને સિસ્ટેમિક ડિસીઝ કહેવાય છે જે એક સાથે શરીરના અનેક અંગો ઉપર હુમલો કરે છે. તેમણે કહ્યું કે કોરોનાથી સાજા થયા બાદ પણ અનેક દર્દીઓને ફેફસામાં ઘણી અડચણો આવે છે. સ્થિતિ એવી છે કે અનેક મહિનાઓ બાદ પણ આવા દર્દીઓને ઘેર ઓકિસજનની જરૂર પડે છે.
ડોકટર ગુલેરિયાના જણાવ્યા અનુસાર હવે આ વાયરસ અત્યતં ખતરનાક થઈ ગયો છે. તેમણે કહ્યું કે પહેલાં અમે વિચાયુ હતું કે આ માત્ર ન્યુમોનિયા જેવો જ છે. બાદમાં અમે જોયું કે દર્દીઓનું લોહી જામી રહ્યું છે જેના કારણે ફેફસા અને હૃદય બધં થવા લાગ્યા અને લોકો મોતને ભેટવા લાગ્યા હતા.
હવે એવું ધ્યાન પર આવી રહ્યું છે કે તે માથા ઉપર પણ હુમલો કરી રહ્યો છે. આ ઉપરાંત લોકોને ન્યુરોલોજિકલ પરેશાનીઓ પણ થઈ રહી છે.
ડોકટર ગુલેરિયાના જણાવ્યા અનુસાર સિટી સ્કેનમાં એવું પણ ધ્યાન પર આવ્યું છે કે વાયરસમાંથી બહાર આવ્યાના ત્રણ મહિના બાદ પણ ફેફસામાં સમસ્યા રહે છે જેથી અનેક લોકોને ઘરે પણ ઓકિસજનની જરૂર પડે છે.
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ દર્દીના ફેફસા ઉપર જ હુમલો નથી કરંતો પરંતુ મગજ, કિડની અને હૃદયને પણ મોટાપાયે નુકસાન પહોંચાડી રહ્યો છે. આ વાતનો ખુલાસો એઈમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરીયાએ કર્યો છે.
દેશમાં કોરોના કિલનીકલ રિસર્ચ ટાસ્ક ફોર્સના મુખ્ય ડોકટર ગુલેરિયાએ આ વાયરસના બદલાઈ રહેલા સ્વરૂપને લઈને કહ્યું કે હવે તે સિસ્ટેમિક ડિસીઝ બની ગયો છે. મેડિકલ સાયન્સની ભાષામાં એ બીમારીને સિસ્ટેમિક ડિસીઝ કહેવાય છે જે એક સાથે શરીરના અનેક અંગો ઉપર હુમલો કરે છે. તેમણે કહ્યું કે કોરોનાથી સાજા થયા બાદ પણ અનેક દર્દીઓને ફેફસામાં ઘણી અડચણો આવે છે. સ્થિતિ એવી છે કે અનેક મહિનાઓ બાદ પણ આવા દર્દીઓને ઘેર ઓકિસજનની જરૂર પડે છે.
ડોકટર ગુલેરિયાના જણાવ્યા અનુસાર હવે આ વાયરસ અત્યતં ખતરનાક થઈ ગયો છે. તેમણે કહ્યું કે પહેલાં અમે વિચાયુ હતું કે આ માત્ર ન્યુમોનિયા જેવો જ છે. બાદમાં અમે જોયું કે દર્દીઓનું લોહી જામી રહ્યું છે જેના કારણે ફેફસા અને હૃદય બધં થવા લાગ્યા અને લોકો મોતને ભેટવા લાગ્યા હતા.
હવે એવું ધ્યાન પર આવી રહ્યું છે કે તે માથા ઉપર પણ હુમલો કરી રહ્યો છે. આ ઉપરાંત લોકોને ન્યુરોલોજિકલ પરેશાનીઓ પણ થઈ રહી છે.
ડોકટર ગુલેરિયાના જણાવ્યા અનુસાર સિટી સ્કેનમાં એવું પણ ધ્યાન પર આવ્યું છે કે વાયરસમાંથી બહાર આવ્યાના ત્રણ મહિના બાદ પણ ફેફસામાં સમસ્યા રહે છે જેથી અનેક લોકોને ઘરે પણ ઓકિસજનની જરૂર પડે છે.