દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોવિડ-19થી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 87 લાખને પાર થઈ ગઈ છે. બીજી બાજુ રાહતની વાત એ છે કે 81 લાખથી વધુ દર્દી સાજા થઈને ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 44,879 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 547 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 87,28,795 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 81 લાખ 15 હજાર 580 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 4,84,547 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,28,668 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોવિડ-19થી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 87 લાખને પાર થઈ ગઈ છે. બીજી બાજુ રાહતની વાત એ છે કે 81 લાખથી વધુ દર્દી સાજા થઈને ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 44,879 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 547 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 87,28,795 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 81 લાખ 15 હજાર 580 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 4,84,547 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,28,668 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.