ભારતમાં ભલે કોરોના સંક્રમણનો આંક 81 લાખની નજીક પહોંચી ગયો છે પરંતુ રાહતની વાત એ છે કે એક દિવસમાં નોંધાતા નવા કેસો 50 હજારથી ઓછા નોંધાઈ રહ્યા છે. બીજી બાજુ એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટીને 6 લાખની નીચે આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 48,648 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 563 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 80,88,851 થઈ ગઈ છે.
ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 73 લાખ 73 હજાર 375 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 5,94,386 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,21,090 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ભારતમાં ભલે કોરોના સંક્રમણનો આંક 81 લાખની નજીક પહોંચી ગયો છે પરંતુ રાહતની વાત એ છે કે એક દિવસમાં નોંધાતા નવા કેસો 50 હજારથી ઓછા નોંધાઈ રહ્યા છે. બીજી બાજુ એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટીને 6 લાખની નીચે આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 48,648 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 563 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 80,88,851 થઈ ગઈ છે.
ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 73 લાખ 73 હજાર 375 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 5,94,386 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,21,090 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.