Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. છેલ્લા 5 દિવસથી 1100થી  વધારે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા હતા. જો કે આજે 1034 દર્દીઓ નોંધાયા હતા. જે એક પ્રકારે રાહતરૂપ સમાચાર છે. 
રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 24569 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 377.98. પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,03,782 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1034 દર્દી નોંધાયા છે. આજે 917 દર્દીઓ સાજા થઇને ઘરે પણ ગયા છે. 
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,85,059 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,83,653 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 1406 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14905 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 82 છે. જ્યારે 14823 લોકો સ્ટેબલ છે. 50322 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2584 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 27 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનના 5, અમદાવાદ કોર્પોરેશન 5, સુરત 4, રાજકોટ 3, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 1, મહેસાણા 1, વડોદરા 1 અને વલસાડના 1નો સમાવેશ થાય છે. 
 

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. છેલ્લા 5 દિવસથી 1100થી  વધારે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા હતા. જો કે આજે 1034 દર્દીઓ નોંધાયા હતા. જે એક પ્રકારે રાહતરૂપ સમાચાર છે. 
રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 24569 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 377.98. પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,03,782 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1034 દર્દી નોંધાયા છે. આજે 917 દર્દીઓ સાજા થઇને ઘરે પણ ગયા છે. 
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,85,059 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,83,653 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 1406 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14905 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 82 છે. જ્યારે 14823 લોકો સ્ટેબલ છે. 50322 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2584 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 27 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનના 5, અમદાવાદ કોર્પોરેશન 5, સુરત 4, રાજકોટ 3, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 1, મહેસાણા 1, વડોદરા 1 અને વલસાડના 1નો સમાવેશ થાય છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ