હૈદરાબાદના મક્કા મસ્જિદ વિસ્ફોટ કેસમાં સુનાવણી દરમિયાન સ્પેશયલ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ કે. રવિન્દર રેડ્ડીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઈને એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરી છે. જસ્ટિસ રવિન્દ્ર રેડ્ડીએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા તર્કને ફગાવતા કહ્યુ હતુ કે આરએસએસ સાથે જોડાવાનો મતલબ એ નથી કે વ્યક્તિ કોમવાદી હોય અથવા તો અસામાજિક છે.