પાકિસ્તાનની જેલમાં કેદ કરાયેલા ભારતીય નૌ-સેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવની આજે એટલે કે સોમવારે માતા અને પત્ની સાથે મુલાકાત થનાર છે. પાકિસ્તાનની સૈન્ય અદાલતે જાસૂસીના અરોપ હેઠળ 47 વર્ષના જાધવને મોતની સજા ફરમાવી છે.
પાકિસ્તાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર જાધવની માતા અને પત્ની આજે જ ઈસ્લામાબાદ પહોંચનાર છે. તેઓ મુલાકાત પછી તુરત ભારત પાછા ફરશે. ભારતના ડેપ્યુટી હાઈકમિશનર જે.પી. સિંહ જાધવના માતા અને પત્ની સાથે મુલાકાત સમયે હાજર રહેશે. મુલાકાત એક કલાક સુધી ચાલે તેવી શક્યતા છે.
પાકિસ્તાનની જેલમાં કેદ કરાયેલા ભારતીય નૌ-સેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવની આજે એટલે કે સોમવારે માતા અને પત્ની સાથે મુલાકાત થનાર છે. પાકિસ્તાનની સૈન્ય અદાલતે જાસૂસીના અરોપ હેઠળ 47 વર્ષના જાધવને મોતની સજા ફરમાવી છે.
પાકિસ્તાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર જાધવની માતા અને પત્ની આજે જ ઈસ્લામાબાદ પહોંચનાર છે. તેઓ મુલાકાત પછી તુરત ભારત પાછા ફરશે. ભારતના ડેપ્યુટી હાઈકમિશનર જે.પી. સિંહ જાધવના માતા અને પત્ની સાથે મુલાકાત સમયે હાજર રહેશે. મુલાકાત એક કલાક સુધી ચાલે તેવી શક્યતા છે.