ગુજરાતમાં જે બેન્કોના ડિરેક્ટર કે અધ્યક્ષ ભાજપના નેતાઓ છે તેવી 11 બેન્કોએ નોટબંધી દરમ્યાન કરોડોનું કૌભાંડ કર્યું હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. આવા 18 નેતાઓ જે બેન્કો સાથે સંકળાયેલા છે તેવી આ 11 બેન્કો દ્વારા રૂપિયા 3113 કરોડની જૂની નોટ નવી નોટ તરીકે રાતોરાત બદલી કરવાનું કૌભાંડ થયું હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરાયો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લા કલેક્ટરને આ અંગે તપાસ કરવા આવેદન અપાયું છે. પોરબંદર જિલ્લા પ્રમુખ દેવશી મોઢવાડિયાએ આક્ષેપ કર્યો છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રી શંકર ચૌધરી સહિતના નેતા આ કૌભાંડમાં સંકળાયેલા હોવાનો તેમણે રાજકીય આરોપ મૂક્યો છે.
ગુજરાતમાં જે બેન્કોના ડિરેક્ટર કે અધ્યક્ષ ભાજપના નેતાઓ છે તેવી 11 બેન્કોએ નોટબંધી દરમ્યાન કરોડોનું કૌભાંડ કર્યું હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. આવા 18 નેતાઓ જે બેન્કો સાથે સંકળાયેલા છે તેવી આ 11 બેન્કો દ્વારા રૂપિયા 3113 કરોડની જૂની નોટ નવી નોટ તરીકે રાતોરાત બદલી કરવાનું કૌભાંડ થયું હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરાયો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લા કલેક્ટરને આ અંગે તપાસ કરવા આવેદન અપાયું છે. પોરબંદર જિલ્લા પ્રમુખ દેવશી મોઢવાડિયાએ આક્ષેપ કર્યો છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રી શંકર ચૌધરી સહિતના નેતા આ કૌભાંડમાં સંકળાયેલા હોવાનો તેમણે રાજકીય આરોપ મૂક્યો છે.