-
ભાવનગર જિલ્લાના ટીંબી ગામના 21 વર્ષિય પ્રદિપ રાઠોડ નામના દલિત યુવકની ગામના ઉચ્ચ જ્ઞાતિના કેટલાક લોકો દ્વારા એટલા માટે હત્યા કરવામાં આવી કે દલિત હોવા છતાં તેણે ઘોડો ખરીદ્યો હતો અને ગામની વચ્ચેથી ઘોડા પર બેસીને અવરજવર કરતો હતો. દલિત યુવકની આ અવર જવર ગામના એવાઓને પસંદ નહોતી કે જેઓ એમ માને છે કે ગામમાં દલિતોને ઘોડા પર બેસવાની મંજૂરી નથી, ગામમાં ઘોડા પર બેસવું અને ફરવું તે ઉચ્ચ જ્ઞાતિના લોકોનો જ અધિકાર છે. આ યુવકને ગામના કેટલાક લોકો રોકતા પણ હતા. છેવટે તે ગુરૂવારે તેના ઘર અને તેના ખેતરની વચ્ચે રહસ્યમય હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડે તેમ છે. નોંધનીય છે કે આજે પણ કેટલાય ગામોમાં દલિતોને ઘોડા પર બેસીને જાન કાઢવાની સામાજીક મનાઇ છે અને તેમના પ્રત્યે ભેદભાવ રખાય છે.
-
ભાવનગર જિલ્લાના ટીંબી ગામના 21 વર્ષિય પ્રદિપ રાઠોડ નામના દલિત યુવકની ગામના ઉચ્ચ જ્ઞાતિના કેટલાક લોકો દ્વારા એટલા માટે હત્યા કરવામાં આવી કે દલિત હોવા છતાં તેણે ઘોડો ખરીદ્યો હતો અને ગામની વચ્ચેથી ઘોડા પર બેસીને અવરજવર કરતો હતો. દલિત યુવકની આ અવર જવર ગામના એવાઓને પસંદ નહોતી કે જેઓ એમ માને છે કે ગામમાં દલિતોને ઘોડા પર બેસવાની મંજૂરી નથી, ગામમાં ઘોડા પર બેસવું અને ફરવું તે ઉચ્ચ જ્ઞાતિના લોકોનો જ અધિકાર છે. આ યુવકને ગામના કેટલાક લોકો રોકતા પણ હતા. છેવટે તે ગુરૂવારે તેના ઘર અને તેના ખેતરની વચ્ચે રહસ્યમય હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડે તેમ છે. નોંધનીય છે કે આજે પણ કેટલાય ગામોમાં દલિતોને ઘોડા પર બેસીને જાન કાઢવાની સામાજીક મનાઇ છે અને તેમના પ્રત્યે ભેદભાવ રખાય છે.