જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કર્યા બાદ હવે સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓને ઠાર તો કરશે પણ હવે તેમને દફનાવવાનો નિર્ણય પણ જાતે જ લેશે. કાશ્મીર ખીણમાં સક્રિય આતંકવાદી સંગઠનોમાં સ્થાનીય નેતાઓને શામેલ થતા રોકવા માટે સુરક્ષા એજન્સીઓએ હવે અથડામણ બાદ આતંકવાદીઓના મૃતદેહને હવે જાતે જ દફનાવવાનો નિર્ણય લીધો છે. કોઈપણ આતંકીનો શબ તેના પરિવારને સોંપવામાં નહીં આવે.